Saturday, February 01, 2014

જગ્ગન્નાથ પૂરી - થોડીક વાતો

જગ્ગન્નાથ પૂરી માં એવી ઘણી વાતો છે જેને જવાબો હજુ વિજ્ઞાન પાસે નથી. આજે એવી જ થોડીક વાતો થી આપને અવગત કરાવ્યે..
૧) પૂરી માં મુખ્ય ધજા હમેશા પવન થી વિરુદ્ધ દિશા માં જ ફરકે છે

૨) મુખ્ય મંદિર પર રાખેલું સુદર્સન ચક્ર, શહેર માંથી ગમે ત્યાતી જોતા આપની સામે હોઈ એવું જ લાગશે
૩) સામાન્ય રીતે દિવસે પવન સમુદ્ર થી ધરતી ઉપર અને રાત્રે જમીન થી સમુદ્ર તરફ જાય છે, પણ પૂરી માં એનાથી વિરુદ્ધ જ થાય છે
૪) સિંહ દ્વાર થી પ્રવેશ કરતા, છેલ્લા પગથીયા સુધી સમુદ્ર ના મોજા વગરે નો અવાજ સાંભળી શકાય છે, પણ પછી માત્ર એક જ ડગલું ચાલી મંદિર ની અંદર પ્રવેશતા જ કોઈ અવાજ સાંભળી શકતો નથી, ખાસ કરી ને સાંજે આ ઘટના સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે
૫) મંદિર માં આખો વરસ પ્રસાદ ની એક સમાન માત્રા જ બનાવાય છે અને માણસો ભલે પચાસ હજાર આવે કે પચાસ લાખ, પ્રસાદ કડી વધતો નથી કે કાઢી ઘટતો નથી
૬) પ્રસાદ બનવા ની વિધિ પણ ચમત્કારિક છે, એક ઉપર એક એમ સાથ વાસણ મૂકી, લાકડા ના ચુલા ઉપર પ્રસાદ બનાવાય છે, સામાન્ય રીતે નીચે નું વાસણ પહેલા ગરમ થાય અને સૌથી ઉપર નું વાસણ સૌથી છેલ્લે, પણ પૂરી ના બધા જ પ્રસાદ ના વાસણ એક સાથે જ ગરમ થાય છે
૭) મંદિર ને ઉપર થી કોઈ જ વિમાન કે પક્ષી ઉડી શકતું નથી
૮) મંદિર ના મુખ્ય કળશ નો પડછાયો દિવસ ના કોઈ પણ સમયે જોઈ શકતો નથી .....


Recent Posts