Friday, September 19, 2014

Balachadi ગણેશ વિસર્જન સફાઇ

ગણેશ વિસર્જન : બાલાચડીના કિનારે સફાઈ

ગણેશ વિસર્જન બાદ અઁદાજે ૮૦૦૦ ખઁઙિત મુર્તિઓ જામનગરના સમુદ્ર કિનારે પઙિ રહે છે. અામા થી ૪૦૦૦ બાલાચઙી ના બિચ પર હોય છે.

જામનગર શહેરની નવાનગર નેચરલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનેક સંસ્થાઓને સાથે સફાઈ કરવામાં આવી છે.

દરિયામાં આશરે ૧ કિ.મી જેટલા દરિયાની સપાટી પર ગણેશજીની પ્રતિમા જ તુટી જતાં અવશેષો હતાં. જેમાં ક્યાય ચાલવાની પણ જગ્યા ન હતી. 

સફાઈ માટે શહેરની નવાનગર નેચર ક્લબ સંસ્થા હેઠળ મરીન નેશનલ પાર્ક તેમજ શહેરની એમ.પી.શાહ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હરિયા કોલેજ, ડિ.કે.વી કોલેજ, મરીન નેશનલ પાર્ક, એન.સી.સી કેડસ સહિતના આશરે ચારસો જેટલા લોકો સંસ્થામાં જોડાયા હતાં અને બાલાચડી દરિયા કિનારેથી તેમજ કાદવ-કિચડમાં ખુપેલી ર્મુિતઓને એકત્રિત કરીને સફાઈ કરવામાં આવી હતી.

નવાનગર નેચર ક્લબના વિજ્યસિંહ જાડેજાએ દુઃખદ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અનેક સંસ્થાઓ, મંડળો, કોમ્પલેક્સોમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સફાઈ અભિયાનમાં એક પણ સંસ્થાનો સભ્ય કે તેના તરફથી માણસ જોડાયો ન હતો.

સમાચાર સૌજન્ય: સઁદેશ

Recent Posts